મેંદરડા આંબેડકર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને હિન્દું સંગઠનો દ્વારા પુતળા દહન નો કાર્યક્રમ યોજાયો જેમાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેહાદી ત્રાસવાદીઓને ફાંસીની સજા માંગ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lkgkug5m45ugjh1b/" left="-10"]

મેંદરડા આંબેડકર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને હિન્દું સંગઠનો દ્વારા પુતળા દહન નો કાર્યક્રમ યોજાયો જેમાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેહાદી ત્રાસવાદીઓને ફાંસીની સજા માંગ કરી


મેંદરડા માં પુતળા દહન સાથે હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ
હિંન્દુ સમાજ ના કનૈયાલાલ ની જેહાદીઓએ કરેલી હત્યાના ઘેરા પ્રત્યાધાતો પડતા વિરોધ વ્યક્ત કરવામાં આવેલ
મેંદરડાના આંબેડકર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,દુર્ગાવાહિની અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા હત્યારાના પૂતળા દહન કરી હત્યારા ને ફાંસી આપવાની માંગ કરાઈ
રાજસ્થાનના ઉદયપુરમાં હિન્દુ સમાજના કનૈયાલાલ એ નુપુર શર્મા ના સમર્થનમાં ટ્વીટ કરવાના મામલે બે જેહાદી શખ્સોએ ટેલર કનૈયાલાલની દુકાનમાં સરાજાહેર ઘાતકી હથિયારો વડે ધાતકી હત્યા કરવામાં આવી હતી જેના પડદા સમગ્ર દેશ અને ગુજરાત સહીતમા ઘેરા પત્યાધાતો પડ્યા છે ત્યારે આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની અને મેંદરડાના તમામ હિન્દુ સંગઠનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, રોષની સાથે સાથે હિંદુધર્મના અને હિન્દું સમાજ ના લોકોની લાગણી દુભાયેલ છે.સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત થવા પામેલ હતો ત્યારે મેંદરડા આંબેડકર ચોક ખાતે તમામ સંગઠનો દ્વારા ટેલર કનૈયાલાલ ના હત્યારા ના પુતળાને સળગાવી પુતળા દહન કરવામાં આવેલ વિવિધ નારાઓ લગાવી હત્યારાઓ ને ફાંસીની સજા ની માંગ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]