આજે સાંજે સિહોર માં આંતકીઓ વિરુદ્ધ પૂતળા દહન વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગદળ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કરાયું પૂતળા દહન - At This Time

આજે સાંજે સિહોર માં આંતકીઓ વિરુદ્ધ પૂતળા દહન વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગદળ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કરાયું પૂતળા દહન


રાજસ્થાનના ઉદયપુરમાં બે લોકોએ એક દરજીની એની દુકાનમાં ઘૂસીને હત્યા કરી નાખી. બંનેએ હત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને ભાજપનાં બરતરફ કરાયેલાં પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણીનો બદલો ગણાવ્યો.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ રિયાઝ અનેગૌસ મોહમ્મદ તરીકે થઈ છે. એક વીડિયોમાં તેઓ કનૈયાલાલનું ધડ-માથું અલગ કરી દેવાની વાત સ્વીકારતા જોવા મળે છે. બન્નેએ આ વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ હત્યાની ધમકી આપી છે.
આ હત્યા બાદ ઉદયપુરમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે સિહોર વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગ દળ તેમજ સમસ્ત હિન્દૂ સમાજ ના લોકો દ્વારા આંતકવાદ દૂર કરો અને પાકિસ્તાન મુરદાબાદ ના નારા લગાવી સિહોર ના વડલાચોક ખાતે આતંકવાદી ના પૂતળા દહન કર્યું હતું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.