જસદણમાં આજૅ પાટીદાર શૈક્ષણીક ભવનમાં ઐતિહાસિક લાપસી પ્રસાદ મહોત્સવ ઉજવાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kw1demwq4oemqfcb/" left="-10"]

જસદણમાં આજૅ પાટીદાર શૈક્ષણીક ભવનમાં ઐતિહાસિક લાપસી પ્રસાદ મહોત્સવ ઉજવાશે


જસદણમાં આજૅ પાટીદાર શૈક્ષણીક ભવનમાં ઐતિહાસિક લાપસી પ્રસાદ મહોત્સવ ઉજવાશે.
- આ લાપસી પ્રસાદ મહોત્સવના કાર્યક્રમ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળાનું પણ આયોજન.
- ખોડલધામના નરેશભાઈ પટેલ, ઉમિયાધામના બાબુભાઈ પટેલ સહીતના ઉપસ્થિત રહેશે.

જસદણના આટકોટ રોડ ઉપર આવેલા પાટીદાર શૈક્ષણીક ભવન ખાતે આજૅ શનિવારે બપોરે 3 વાગ્યાથી લાપસી પ્રસાદ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સંસ્થા-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહીત પાટીદાર સમાજના મોટાગજાના રાજકીય અને સામાજીક આગેવાનો હાજર રહેવાના હોય જસદણ પંથકના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લાપસી પ્રસાદ મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ લાપસી પ્રસાદ મહોત્સવ અંગે જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે, જસદણ પંથકમાં લાપસી પ્રસાદનું પ્રથમ વખત આયોજન થતું હોય પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાપસી પ્રસાદનો પ્રારંભ આજે બપોર 3 વાગ્યે થશે. જેમાં જસદણ શહેરના ચિતલીયા રોડ ઉપર આવેલ હિરપરા સમાજની વાડીએથી આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણીક ભવન સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં વિવિધ કલાકૃતિ અને જુદા-જુદા શણગારેલા ફલોટ સાથે વાહનો જોડાશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે પ્રાસંગીક પ્રવચનો અને સંતોના આશીર્વાદ સાથે સભા યોજાશે. બાદમાં સાંજે 7 વાગ્યાથી લાપસીનો પ્રસાદ હજારો પાટીદારો લેશે. બાદમાં રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિરણ ગજેરા, હિતેશ અંટાળા, લાલુ માળવીયા, યોગીતા પટેલ, સાગર પટેલ, મિલન તળાવીયા સહીતના કલાકારો ભાગ લેશે.

આ મહોત્સવમાં પાટીદાર સમાજના મોટાગજાના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સંસ્થા-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, પરબધામના મહંત કરશનદાસબાપુ, સ્વામીનારાયણ ગુરૂકુળ-રાજકોટના શ્રૃતીપ્રકાશદાસજી, પુષ્ટીમાર્ગીય વૈષ્ણવાચાર્ય મધુસુદનલાલજી, રામકુંડ આશ્રમ અંકલેશ્વરના મહંત ગંગાદાસબાપુ, સ્વામીનારાયણ મંદિર-ગઢડાના એસ.પી.સ્વામી સહીતના સંતો-મહંતો હાજર રહેશે. આ કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે પાસના હાર્દિક પટેલ, લાલજીભાઈ પટેલ, અલ્પેશ કથીરીયા સહીત પાટીદાર સમાજના અનેક દાતાઓ તેમજ આગેવાનો હાજર રહેશે. આ ભવ્ય લાપસી પ્રસાદ કાર્યક્રમનો લાભ લેવા સંસ્થાના પ્રણેતા દિનેશભાઈ બાંભણીયા, સંસ્થાના પ્રમુખ ભીખાભાઈ બાંભણીયા, ટ્રસ્ટીઓ વલ્ભભાઈ બોદર, ભુપતભાઈ ભાયાણી, વિઠ્ઠલભાઈ સિધ્ધપરા, કલ્પેશભાઈ મોવલીયા, છગનભાઈ કાકડીયા, દિપકભાઈ રામાણી, રમેશભાઈ હિરપરા, ભરતભાઈ બોઘરા ભરતભાઇ છીયાણી દેવરાજભાઈ છાયાણીની યાદીમાં જણાવ્યું છે આ ઉપરાંત જસદણ વિછીયા પાટીદાર સમાજના આગેવાનો ઉધૉગપતિ રૂડાભાઈ પટેલ વલ્લભભાઈ ખાખરીયા પી,વી,ભાઈ ભાયાણી નરેશભાઈ ચોહલીયા મેહુલભાઈ પારખીયા ધીરુભાઈ ભાયાણી વેલજીભાઈ હિરપરા પ્રવીણભાઈ છાયાણી સુરેશભાઈ છાયાણી પ્રભાતભાઈ નારોલા ભાવૅશભાઇ રામાણી કલ્પેશભાઈ પાનસુરીયા સંજયભાઈ હરખાણી દીપકભાઈ હિરપરા કૅતનભાઇ લાડૉલા મીઠાભાઇ છાયાણી રાજાભાઇ કુભાણી સંજયભાઈ સખીયા હકનભાઈ છાયાણી સહિતના જસદણ વિછીયા શહેર પંથકના સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે

લાપસી પ્રસાદ મહોત્સવના કાર્યક્રમ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળો યોજાશે.

જસદણમાં આજે યોજાનાર લાપસી પ્રસાદ મહોત્સવના કાર્યક્રમ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી ગાંધીનગર, જીલ્લા પંચાયત રાજકોટ અને સરકારી આયુર્વેદીક હોસ્પીટલનાં સંયુકત ઉપક્રમે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આયુષ મેળાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજના આ લાપસી પ્રસાદ મહોત્સવના ભાગરૂપે પાટીદાર સમાજના લોકો વધુમાં વધુ લાભ લે એ માટે ભવન દ્વારા છેલ્લા ઘણા દિવસોથી જસદણ-વિંછીયા તાલુકાના ગામે-ગામ રથ ફેરવવામાં આવ્યો હતો. આજના આ ભવ્ય કાર્યક્રમમાં જસદણ- વિંછીયા પંથકના હજારો પાટીદારો ઉપસ્થિત રહેવાના હોય સ્થાનીક તંત્ર દ્વારા કોઈ અડચણ ન ઉભી થાય તે માટે પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]