( નમસ્તે સદા વત્સલે માતૃભૂમૈ ) " ડભોઇ - દર્ભાવતિ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલન અને શસ્ત્ર પૂજન યોજાયું " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kvrbgbkunj0epveu/" left="-10"]

( નમસ્તે સદા વત્સલે માતૃભૂમૈ ) ” ડભોઇ – દર્ભાવતિ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલન અને શસ્ત્ર પૂજન યોજાયું “


રિપોર્ટ:- નિમેષ,સોની

ડભોઇ - દર્ભાવતિ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચાલન અને શસ્ત્ર પૂજન કરી વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડભોઇનાતમાકુ વાગાના મેદાનના પટાંગણથી સંપૂર્ણ ગણવેશમાં સજજ થઈ સ્વયં સેવકો દ્વારા નગરના વિવિધ રાજમાર્ગો ઉપર પથ સંચલન યોજાયું હતું. જ્યાં ઠેર-ઠેર આ પથ સંચલન ઉપર પુષ્પવર્ષા કરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ડભોઇના સ્વયં સેવકો તથા નગરજનોએ શસ્ત્રપૂજન કરી વિજયા દશમી પર્વની ઉજવણી કરી હતી. જેમાં વક્તા જગદીશભાઈ પોપટ,
વડોદરા જિલ્લા સંઘ સંચાલક તુલસીભાઈ પટેલ, નગર સંઘ સંચાલક મનોજભાઈ પ્રજાપતિ, ડો. મહેન્દ્રભાઈ પટેલ પૂર્વ નગર સંઘ ચાલક તેમજ હાલનાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી, દિનેશભાઈ જોષી, ડો. વિશાલ પટેલ, મિતેશભાઈ પંચાલ, કલ્પેશભાઈ તેમજ અન્ય સ્વયંસેવકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]