રૈયાધારમાં બિમારીથી કંટાળી વૃદ્ધનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

રૈયાધારમાં બિમારીથી કંટાળી વૃદ્ધનો ફાંસો ખાઈ આપઘાત


રૈયાધારમાં સ્લમ કવાર્ટરમાં રહેતા ધનજીભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.62) આજે પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુંકાવ્યુ હતું. બનાવ અંગે પરિવારને જાણ થતા તેમને સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિ. પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ મૃતકને બ્લડપ્રેસરની બીમારીથી પીડીત હતા અને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.