અમદાવાદ માં રવિવારે ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ ગરીબ કુટુંબ ને અનાજ રાશન કિટ નું વિતરણ કરવામાં આવ્યું સાંજે ૪-૦૦થી ૮-૦૦ દરમ્યાન - At This Time

અમદાવાદ માં રવિવારે ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ ગરીબ કુટુંબ ને અનાજ રાશન કિટ નું વિતરણ કરવામાં આવ્યું સાંજે ૪-૦૦થી ૮-૦૦ દરમ્યાન


ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધંઉ, ચોખા,તેલ,દાળ,ચ્હા,ખાંડ, ગોળ,બટાકાની આશરે ૧૦થી ૧૨ હજાર રૂપિયાની અનાજ કીટનું વિતરણ જરૂરતમંદ ઓછી આવક ધરાવતા પરિવારના ૨૫૦ સભ્યોને ઈશ્વરભવન નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં લલિત કલા અકાદમીના અધ્યક્ષ શ્રીજોરાવરસિંહ જાદવે ગાયત્રી મંત્રોચ્ચાર સાથે દિપ પ્રગટાવીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમાજના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લાભાર્થીઓને સહાયતા મળે તેવા સદ્કાર્યનો પ્રયાસ કરી રહેલ સંસ્થા ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,સ્ટાફ, દાતાશ્રીઓ,આમંત્રિત મહેમાનો, કાર્યકર્તાઓને શુભેચ્છા આશીર્વાદ પાઠવીને કર્યું હતું અને સંસ્થા દ્વારા અમદાવાદમાં આવેલી અસારવા,સોલા સિવિલ હોસ્પિટલ,કેન્સર મણીબેન આર્યુવેદિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતાં દર્દીની સાથે રહેતા સગાને મદદરૂપ થાય તે હેતુથી દરરોજ રવિવાર સિવાય બપોરે"અન્ન પૂર્ણા રથ" રીક્ષા દ્વારા ૭૦૦ જેટલા લોકોને ભોજન પહોંચાડવાના કાર્યને તથા દરબુધવારે કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને શીરો વહેંચવાના સેવા કાર્યને બીરદાવ્યુ હતું.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.