સોમનાથ મંદિરમાં ડિસેમ્બરમાં ૬ લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવ્યું. - At This Time

સોમનાથ મંદિરમાં ડિસેમ્બરમાં ૬ લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવ્યું.


વિશ્વ સુપ્રસિદ્ધ પ્રવાસન યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ૨૦૨૨ નાં ડિસેમ્બર માસ માં ૫,૯૮,૪૧૮ ભાવિકોએ દેવાધિદેવ ભોળાનાથ સમક્ષ શીશ ઝુકાવી ભાવવિભોર થયા હતા. ગત વર્ષ ડિસેમ્બર કરતાં આ વર્ષે ૧.૬૬ લાખ ભાવિકોનો આંક વધ્યો.

સોમનાથ ખાતે વર્ષ ૨૦૨૧ નાં ડિસેમ્બર માસ માં ૪.૩૨ લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવ નાં દર્શન કર્યા હતા. આ વર્ષે તા. ૨૫ થી ૩૧ દરમિયાન નાતાલ નાં દિવસોમાં સોમનાથનાં આંગણે ૨,૦૩,૭૫૪ શ્રદ્ધાળુઓએ સોમનાથ યાત્રાધામ ની મુલાકાત લીધી હતી.

વર્ષભરમાં સોમનાથ મંદિર સાનિંધ્યે એક કરોડ જેટલા ભાવિકો આવતા હોઈ છે પણ પ્રાથમિક અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ માં લગભગ ૫૫ લાખ જેટલા ભાવિકો આવ્યા હોઈ તેવું પ્રાથમિક અનુમાન છે.

તા. ૨૫ થી ૩૧ દરમિયાન એક સપ્તાહમાં આટલા લોકોએ સોમનાથ ની મુલાકાત લીધી

• તા.૨૫ - ૩૧૪૨૪ દર્શનાર્થીઓ
• તા. ૨૬ - ૩૨૧૨૯ દર્શનાર્થીઓ
• તા.૨૭ - ૨૮૯૯૮ દર્શનાર્થીઓ
• તા.૨૮ - ૩૦૮૨૫ દર્શનાર્થીઓ
• તા.૨૯ - ૨૯૫૩૨ દર્શનાર્થીઓ
• તા.૩૦ - ૨૫૮૩૮ દર્શનાર્થીઓ
• તા.૩૧ -૨૫૦૦૮ દર્શનાર્થીઓ

- ભાસ્કર વૈદ્ય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.