માળીયા હાટીના માં તા.26/2/24ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે અંડર પાસ નું લોકાર્પણ યોજાશે - At This Time

માળીયા હાટીના માં તા.26/2/24ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે અંડર પાસ નું લોકાર્પણ યોજાશે


માળીયા હાટીના માં તાજેતરમાં રેલ્વે ફાટક પાસે કેન્દ્ર સરકાર દ્વારા અંદાજીત 2 કરોડના ખર્ચે અંડર પાસનું કામ પૂર્ણ થતાં આ અંડર પાસનું લોકાર્પણ તા. 26/2/24 ના રોજ સવારે 10 કલાકે શ્રી દેશના વડાપ્રધાનના નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમ માં જૂનાગઢ જીલ્લાના સંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પશ્ચિમ રેલ્વે વિભાગના drm રવીશ કુમાર , જૂનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંધના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, સરપંચ જીતુભાઇ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે

આ કાર્યક્રમમાં માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા ને પધારવા પશ્ચિમ રેલ્વે વિભાગના drm રવીશ કુમાર ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.