ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરતા ભરૂચ મા પણ ક્ષત્રિય સમાજ માં રોષ ફેલાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hxgqafs7nxgxojuz/" left="-10"]

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરતા ભરૂચ મા પણ ક્ષત્રિય સમાજ માં રોષ ફેલાયો.


લોકસભા ૨૦૨૪ ના રાજકોટ ના ઉમેદવાર અને ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી હતી. જેમાં પુરુષોત્તમ રૂપાલા કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે. આ ઉપરાંત તેમની રજવાડાં વિશે પણ ટિપ્પણી કરેલ છે. જે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી આમ રૂપાલાના વિવાદિત પ્રવચન દ્વારા શાંતિભંગ થાય તે પ્રકારનું પ્રવચન હોવાથી ગુજરાતમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો.
આ વિવાદિત ટિપ્પણી લઈને તેમનું લોકસભાની ટિકિટ રદ થાય અને ધર્મવિરોધી ટિપ્પણી કરવા બાબતે ગુનો નોંધાય તે અર્થે ક્ષત્રિય સમાજના આગેવાનોએ લેખિતમાં જાણવા જોગ ભરૂચ કલેકટર શ્રી ને ક્ષત્રિય કરણી સેના પરિવાર ના બેનર હેઠળ આવેદનપત્ર પાઠવ્યું હતું .

Malek Ysadani
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]