*અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા માંથી પરત આવેલ બિલેશ્વર ધામના મહંત નું વડિયાવીર ગામમાં ભવ્ય સ્વાગત કરાયું* - At This Time

*અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા માંથી પરત આવેલ બિલેશ્વર ધામના મહંત નું વડિયાવીર ગામમાં ભવ્ય સ્વાગત કરાયું*


22 જાન્યુઆરીના રોજ અયોધ્યા માં શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવા મળેલ આમંત્રણ ને લઈ ઇડરના બિલેશ્વર ધામના મહંત પ. પૂ. શ્રી શાંતિગિરિજી મહારાજ આ વિશેષોત્સવમાં હાજરી આપી બુધવારના રોજ 7,30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચતા ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ગાંધીનગર, પ્રાંતિજ, દરામલી, ઈડર, બડોલી,વડીયાવિર બિલેશ્વર ધામમાં ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. મહંત શાંતિગીરીજી મહારાજ દ્વારા વીર બાવજી અંબેમાં બિલેશ્વર મહાદેવ ના દર્શન કરી સર્વે સનાતની ભક્તોને દર્શન અને આશીર્વાદ આપી અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ ની ખુશી વ્યક્ત કરી હતી.
હાજર સૌ કોઈ એ જય શ્રી રામ ના નારા લગાવી પૂ.ગુરુજીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.

ઈડર .સાબરકાંઠા.(રિપોર્ટર હસન અલી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.