શિશુવિહાર ખાતે 21 મી આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી - At This Time

શિશુવિહાર ખાતે 21 મી આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી


શિશુવિહાર ખાતે 21 મી આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી

ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે શહેરની શ્રી બી. એન. વિરાણી શાળાના વિદ્યાર્થીઓ માટે 21 મી આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી .....
વાઘ બકરી ટી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી તા. 18 ઓકટોબર એ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત 280 વિદ્યાર્થીઓને શ્રી હરેશભાઈ ભટ્ટ , શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી અનંતભાઈ ઠાકોર દવારા ઇમર્જન્સી મેથડ , સ્ટેચર , પાટા , ફસ્ટેઇડ , દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ સ્થિતિમાં પ્રાથમિક સારવાર ની સમજ પ્રત્યક્ષ નિદર્શન દવારા આપવામા આવેલ. પૂજ્ય કાંતિ સેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે તમામ વિધાર્થીઓને શિશુવિહાર તરફથી "બાળ આરોગ્ય સૂત્ર" પુસ્તિકા તથા શાળા પુસ્તકાલય માટે "ડિઝાસ્ટરની પુસ્તક"ભેટ આપવામા આવેલ..
શાળાનાં આચાર્યશ્રી અરવિંદભાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી નિકુલભાઇ મહેતાએ કર્યું હતુ....

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.