રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે.


રાજકોટ શહેર તા.૨૦/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે પણ ૨૧ જુનના રોજ યોગ દિવસની ઉજવણી કરાશે. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા ૮૧ સ્થળોએ યોગ દિવસની ઉજવણી થશે. મુખ્યત્વે ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં તેમજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલો, હાઈસ્કુલો ઉપરાંત મહાત્મા ગાંધી મ્યુઝીયમ, લાઈબ્રેરી, ઇવનિંગ પોસ્ટ, રેનબસેરા વગેરે સ્થળોએ યોજાશે. આ ઉપરાંત બે સ્નાનાગાર શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર અને શ્રી લોક માન્ય તિલક સ્નાનાગાર (રેસકોર્ષ) ખાતે શ્રી વંદનાબેન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ એક્વા યોગાના ઇન્સ્ટ્રક્ટર અલ્પાબેન શેઠ, કિંજલબેન શાહ, શિલ્પાબેન સબલપરા, ભારતીબેન વસાણી, અંજનાબેન વિરીજા દ્વારા એક્વા યોગા કરાવાશે. સેન્ટ્રલ ઝોન રેસકોર્ષ ખાતે માન.પૂર્વ રાજ્યપાલ કર્ણાટક વજુભાઈ વાળા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર ડૉ.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ જુદી-જુદી કમીટીના ચેરમેનશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે. વેસ્ટ ઝોન નાનામવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, સુરેન્દ્રનગરના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શ્રી ધનસુખભાઈ ભંડેરી-ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન, ગુજરાત પ્રદેશ ભાજપમંત્રી બિનાબેન આચાર્ય, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તેમજ જુદી-જુદી કમીટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે. ઈસ્ટ ઝોન પૂ.રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે રાજ્યના વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માન.મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા જુદી-જુદી કમીટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે. ઉક્ત ત્રણેય સ્થળોએ શ્રી રવિશંકર એકેડેમિક, બ્રહ્માકુમારી અને પતંજલિ સંસ્થાના યોગ ગુરૂઓ દ્વારા યોગા કરાવાશે. આ ઉપરાંત મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે દીવ્યાંગો અને યોગ એક્સપર્ટ બાળકો દ્વારા યોગ કરાશે. જ્યાં રાજકોટ જીલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા અને ભાવનગરના પ્રભારી કશ્યપભાઈ શુક્લ ઉપસ્થિત રહેશે. ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના યોગ સ્થળોએ થયેલ આયોજન અને તૈયારીની સમિક્ષા કરવા પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.