આતંકવાદીને ઠાર કરનારા જેસર તાલુકાના ઈટીયા ગામના શ્રી રાજુભાઈ ભુવાને ભારત સરકારશ્રી દ્વારા મળ્યું સેના મેડલ સન્માન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gexhzxnn3m0gvzen/" left="-10"]

આતંકવાદીને ઠાર કરનારા જેસર તાલુકાના ઈટીયા ગામના શ્રી રાજુભાઈ ભુવાને ભારત સરકારશ્રી દ્વારા મળ્યું સેના મેડલ સન્માન


ગુજરાતમાંથી એકમાત્ર શ્રી રાજુભાઈને સન્માનીત કરાતા ભાવનગર જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું
જમ્મુ કશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીને ઠાર મારી અદમ્ય સાહસનો પરચો આપ્યો

૧૯ વર્ષની ઉંમરે સેનામાં ભરતી થયેલ શ્રી રાજુભાઈ નવ વર્ષથી દેશની રક્ષા કરે છે
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઈટીયા ગામના વતની શ્રી રાજુભાઈ રામભાઈ ભુવા ૧૯ વર્ષની ઉંમરથી એટલે કે છેલ્લા નવ વર્ષથી સેનામાં જોડાઈને દેશની સેવા કરે છે તેમને અદમ્ય સાહસ, અનુકરણીય કર્તવ્યનિષ્ઠા બદલ ભારત સરકારશ્રી તરફથી સેના મેડલથી સન્માનિત કરી અને ૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ દિલ્હી ખાતે નવાજવામાં આવ્યા હતા.

શ્રી રાજુભાઈ રામભાઈ ભુવા ૬ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ જમ્મુ કશ્મીરના બડગામ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના આતંકવાદીને સાહસવૃતિ સાથે ઠાર કર્યા હતા જે બદલ ભારત સરકાર દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારતમાંથી કુલ ૮૧ લોકોને સેના મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા જેમાં ગુજરાતમાંથી એકમાત્ર શ્રી રાજુભાઈને આ સન્માન પ્રાપ્ત થયું છે.

શ્રી રાજુભાઈ આર્મીમાં ૧૯ વર્ષની ઉંમરે દેશ સેવા કાજે ભરતી થયા હતા તેઓ હાલ નવ વર્ષથી લાન્સ નાયક તરીકે દેશની સેવા કરી રહ્યા છે.

શ્રી રાજુભાઈ બ્રિગેટ ઓફ ધ ગાર્ડસ રેજીમેન્ટ બટાલિયનમાં ફરજ બજાવે છે.

ઈટીયા ગામના વતની રાજુભાઈ ભુવા ને સેનાના વડા હસ્તક સેના મેડલ થી સન્માનિત થતાં ભાવનગર જિલ્લાના યસકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.

ભાવનગર બ્યુરો મૂળશંકર જાળેલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]