શ્રી તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શાયોના વિદ્યાલય દ્વારા મતદાન જાગૃતિ રેલી નું આયોજન - At This Time

શ્રી તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શાયોના વિદ્યાલય દ્વારા મતદાન જાગૃતિ રેલી નું આયોજન


શ્રી તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
શ્રી શાયોના વિદ્યાલય દ્વારા મતદાન જાગૃતિ રેલી નું આયોજન

તા. ૨૫-૧૧-૨૦૨૨ ને શુક્રવારના રોજ લોકશાહીના પર્વમાં દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજી ૧૦૦ % ટકા મતદાન કરે અને બધાજ લોકો માં મતદાનની જાગૃતતા આવે તે સંદર્ભે શ્રી શાયોના વિદ્યાલય – બોટાદ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “ મતદાન સે બને દેશ સશક્ત ”, “ મતદાન મહાદાન ”, “ વિકાસ અધુરો મતદાન વિના “ જેવા સુત્રો અને “જય જય ગરવી ગુજરાત ”, “ વંદે માતરમ ” નાં નારા દ્વારા લોકો મતદાન કરવા જાય તેવી પહેલ કરી હતી. આ મતદાન જાગૃતિ રેલીને સફળ બનાવવા શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શાળાના સંચાલક શ્રી નીલેશભાઈ ડાબસરા, આચાર્યશ્રી હિતેશભાઈ ડાભી, તમામ ટ્રસ્ટી ગણ અને દરેક શિક્ષક મિત્રોએ મહત્વની ભૂમિકા ભજવી હતી

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.