પક્ષીઅોના માળા-પીવાના પાણીના કુંડાનું વિતરણ - At This Time

પક્ષીઅોના માળા-પીવાના પાણીના કુંડાનું વિતરણ


કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અેનિમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રૂપના સથવારે પક્ષીઅોના માળા-પીવાના પાણીના કુંડી રામપાતરનું નિ:શુલ્ક વિતરણ તા.15મીથી 31મી સુધી વિવિધ વિસ્તારોમાં સવારે 7.15થી 8.30 સુધી કરવામાં અાવશે. આ ઉપરાંત 16 માર્ચના આનંદબંગલા ચોક ખાતે, 17 માર્ચે નાગેશ્વર પાશ્વનાથ મંદિર ખાતે અને 18ના રોજ ધારેશ્વર મંદિર ખાતે વિતરણ કરાશે.સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં પાણીની કુંડી રાખી ઉપરાંત તેની નિયમિત સફાઇ પણ કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા મિતલ ખેતાણી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.