પરસાણાનગરમાં ઢોરના હલણ મામલે મહિલા પર વેવાઈ સહિત બેનો હુમલો - At This Time

પરસાણાનગરમાં ઢોરના હલણ મામલે મહિલા પર વેવાઈ સહિત બેનો હુમલો


પરસાણાનગરમાં રસ્તામાં બાંધેલ પડદા હટાવી ઢોરને હલણ માટે રસ્તો ખુલ્લો કરવાનું કહેતા મહિલા પર તેના નામચીન વેવાઈ સહિત બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાઈ હતી. બનાવ અંગેની વધુ વિગત અનુસાર, ગાયકવાડીમાં રહેતા સાયરાબેન ઇકબાલભાઈ જુણેજા (ઉ.વ.54) ગત રોજ સાંજે પોતાના ઢોર લઇ પરસાણાનગરમાંથી પસાર થતા હતા ત્યારે ત્યાં રહેતા તેના વેવાઇ ભુદરે તેના ઘર પાસે ઇદનો તહેવાર નિમિત્તે પડદા બાંધ્યા હોઇ જેથી તે મહિલાએ ઢોરને પસાર કરવા માટે તે હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા ભુદર અને મોહસીને ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.જેમાં ગંભીર રીતે ઘવાયેલ મહિલાને તાત્કાલીક સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત મહિલાના પુત્રનું બે માસ પહેલા કીટીપરા વિસ્તારમાં મર્ડર થયેલ હતું. તેમજ તેની પુત્રીના લગ્ન હુમલો કરનાર ભુદરના પુત્ર સાથે થયા હતા. અને આઠ માસથી તે રીસામણે હતી તેમજ ભુદર અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલ હોવાનો મલિલાએ આક્ષેપ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.