હિંમતનગરમાં રાષ્ટ્રીય પ્રમુખ ડો.કે. લક્ષ્મણજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનું ભવ્ય સંમેલન યોજાયું સ્વાગતમાં બાઈક રેલી યોજાઈ ઃ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઉદયભાઇ કાનગડ, મયંક નાયક, ડો. સનમ પટેલ, જે. ડી. પટેલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા - At This Time

હિંમતનગરમાં રાષ્ટ્રીય પ્રમુખ ડો.કે. લક્ષ્મણજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનું ભવ્ય સંમેલન યોજાયું સ્વાગતમાં બાઈક રેલી યોજાઈ ઃ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઉદયભાઇ કાનગડ, મયંક નાયક, ડો. સનમ પટેલ, જે. ડી. પટેલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા


હિંમતનગરમાં રાષ્ટ્રીય પ્રમુખ ડો.કે. લક્ષ્મણજીની ઉપસ્થિતિમાં
સાબરકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનું ભવ્ય સંમેલન યોજાયું

સ્વાગતમાં બાઈક રેલી યોજાઈ ઃ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઉદયભાઇ કાનગડ, મયંક નાયક, ડો. સનમ પટેલ, જે. ડી. પટેલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા

હિંમતનગર ઃ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં નક્કી થવાની છે ત્યારે ભારતીય જનતા પક્ષ પણ મજબૂતીથી બહાર આવશે તે ચોક્કસ વાત છે. ભાજપ બક્ષીપંચ મોરચા સાબરકાંઠા નું હિંમતનગર ખાતે ટાઉન હોલમાં વિશાળ સંમેલન યોજાયું જેમાં બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ ડો.કે. લક્ષ્મણજીએ જણાવેલ કે,
OBC માં આવતા તમામ વર્ગોને સરકારના મળતા લાભો વિશે વિસ્તૃત માહિતી આપી જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં તમામ સમાજને ધ્યાનમાં રાખી કયાંય અન્યાય થવા દીધો નથી. જ્યારે કોંગ્રેસની સરકારે OBC સમાજનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો હતો. જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં તમામ સમાજનું હિત જાળવી સામાજિક સમરસતાનું ઉત્તમ કામ પણ ભાજપની સરકાર કરે છે. આ પ્રસંગે હિંમતનગર શહેરમાં ભવ્ય બાઇક રેલી કાઢી ડો.કે. લક્ષ્મણજીનું સ્વાગત કરવામાં આવેલ જેમાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પણ જાેડાયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મયંકભાઇ નાયક, ડો.સનમ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, દીપસિંહ રાઠોડ, કું. કૌશલ્યાકુંવરબા પરમાર, રમણલાલ વોરા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ભાજપ અગ્રણી ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રહેવર, આઇ.ટી.ના સિદ્ધાર્થ પટેલ, સહિત અન્ય આગેવાનો નીલાબેન પટેલ, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કમલેશભાઈ, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી હર્ષદ મિસ્ત્રી, મહિલા મોરચા, યુવા મોરચાના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
શરૂઆતમાં OBC સમાજમાં આવતા તમામ સમાજના આગેવાનોએ અને જિલ્લા ભાજપ સંગઠને ડો.કે. લક્ષ્મણજીનું ભવ્ય સ્વાગત સન્માન કરેલ.

અહેવાલ આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.