અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક લિફ્ટ તૂટતાં 7 શ્રમિકોના મોત નિપજ્યા  - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rm0mon9t79aro71o/" left="-10"]

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક લિફ્ટ તૂટતાં 7 શ્રમિકોના મોત નિપજ્યા 


અમદાવાદમાં ગુજરાત યુનવર્સિટી પાસે મોટી ઘટના બની હોવાના સમાચાર આવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટી પાસે એક ઇમારતના નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના બની હોવાનું જણાવાઈ રહ્યું છે. એક્સપાયર -2 નામની બિલ્ડીંગનું કામ ચાલુ હતું તે જ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટી હતી અને 7 જેટલા શ્રમિકોના મોત થયાના સમાચાર છે. 

આ ઘટનામાં એકની હાલત ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કેવી રીતે બની અને શ્રમિકોની સેફટી માટે શા માટે કોઈ વ્યવસ્થા ન હતી તેવા અનેકો પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. આ અગાઉ પણ ગુજરાતમાં ઘણી દુર્ઘટના બની છે તેમાં શ્રમિકોના મોત થયા છે ત્યારે શ્રમિકો માટે સેફટીની સુવિધા રાખવાની ફરજીયાત કરવામાં આવી છે.

શ્રમિકોની મોત માટે જવાબદાર કોણ ? અને સેફટી જેવા પ્રશ્નો પર ઉભા થઇ રહ્યા છે. આ બનાવ અમદાવાદની ગુજરાત યુનિવસીટી નજીક આવેલા એક્સપાયર- 2 બિલ્ડીંગમાં બન્યો હતો. અમદાવાદમાં ઘણી જગ્યાએ મોટાપાયે મોટી મોટી ઇમારતોના કાર્ય ચાલુ છે ત્યારે આવી ઘટના બને છે બીલ્ડીગમાં સેફટીની સુવિધા રાખવી જોઈએ જેથી કોઈ અનિચ્છીય બનાવ ન બને. ગરીબ શ્રમિકોના જીવન સાથે રમતો રમાય છે.

મૃત્યુ પામનાર શ્રમિકોના નામ આ પ્રમાણે છે

1) સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​
2) જગદીશભાઈ રમેશભાઈ નાયક
3) અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​
4) મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​
5) મુકેશભાઇ ભરતભાઇ નાયક
6) રાજમલ સુરેશભાઇ ખરાડી
7) પંકજભાઇ શંકરભાઇ ખરાડી

તમામ મૃતકો પંચમહાલ ગોધરા ના ઘોઘંબા ના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]