મુળી તાલુકાનાં ગામોમાં કોંગ્રેસ નું પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત પત્રીકા વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f3ogesgnbgxszjpk/" left="-10"]

મુળી તાલુકાનાં ગામોમાં કોંગ્રેસ નું પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત પત્રીકા વિતરણ કાર્યક્રમ યોજાયો


*મુળી સરલા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ નું ઘરઘર પત્રીકા વિતરણ*

*કોંગ્રેસ નાં આઠ વચન શા માટે? ની પત્રીકા સ્થાનિક આગેવાનો નું સંપર્ક અભ્યાન*

મુળી તાલુકાનાં સરલા જિલ્લા પંચાયત સીટ ઉપર આજે કોંગ્રેસ દ્વારા પત્રીકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસ નાં આઠ વચનો શા માટે અને કામ તો કોંગ્રેસે જ કર્યું હતું અને કરશે નો પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવેલ હતું જેમાં ટીકર તાલુકા પંચાયત સીટ પર પરાક્રમસિંહ પરમાર અને હરદેવસિંહ વાઘેલા એ ટીકર સુજાનગઢ પાંડવરા ગામે અને સરલા દુધઈ ગઢડા ગામોમાં જગદીશ ભાઈ પટેલ કુંતલ પુર લીયા વગેરે ગામોમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા પત્રીકા વિતરણ કરી પ્રચાર નો આરંભ કરવામાં આવ્યો હતો મુખ્ય રીતે મોંઘવારી, બેરોજગારી, કથળતી શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય, ખેડૂત અને ખેતી નાં મુખ્ય મુદ્દાઓ સાંકળી લેવામાં આવેલ છે હાલ નાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા છે અને ફરી પણ કોંગ્રેસ ઉમેદવાર તરીકે તેઓની પસંદગી નિશ્ચિત છે ત્યારે સમગ્ર તાલુકામાં પ્રચાર વેગવંતો બનાવવા માટે રામકુભાઈ કરપડા,સ્તવન મકવાણા યશપાલ સિંહ પરમાર જયસુખભાઈ દુધરેજીયા સહિત ની કોંગ્રેસ ની યુવા ટીમ આગેવાનો એ રણશિંગું ફુંકી જોરશોરથી પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત પત્રીકા વિતરણ કાર્યક્રમ ગોઠવી મતદાર નો ઘરઘર સુધી સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે આ બાબતે ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા નો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો ઘરઘર પત્રીકા વિતરણ કાર્યક્રમ આપવામાં આવેલ છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને કોંગ્રેસ કાર્યકરો અઢી કરોડ ઘર સુધી અને મતદારો ને કોંગ્રેસ નાં વચન ગેરંટી સાથે આપશે અને આગામી સમયમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]