જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ અનુપુર તરફથી મફત નિદાન કેમ્પનું આયોજન - At This Time

જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ અનુપુર તરફથી મફત નિદાન કેમ્પનું આયોજન


જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ અનુપુર તરફથી આશીર્વાદ દવાખાનું જુના માળ ખાતે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આજરોજ જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ અનુપુર તરફથી આશીર્વાદ દવાખાનુ જુના માળ ખાતે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં લુણાવાડાના બાપા હોસ્પિટલના ડૉ. જય જે પટેલ, (ઓર્થોપેડિક સર્જન), તથા ડેન્ટલ હાઉસના ડૉ. ઝીલ વ્યાસ (પંડ્યા), તથા ધન્વન્તરિ હોસ્પિટલના ડૉ, મહેશ એસ પટેલ તથા આંખોના નંબર, મોતિયા ચેક કરવા, હરસ મસા ભગંદર, દાત ના જડબા નો દુઃખાવો, જોઈન્ટ રિપ્લસમેન્ટ, મણકાના દર્દ, જેવી તમામ પ્રકારની બબીબી સારવાર માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં આશરે 130 જેવા દર્દીઓ લાભ મેળવેલ હતો. વધુમાં જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ એ જણાવ્યું હતું કે તેમનાં ટ્રસ્ટ તરફથી ચાલતા દવાખાનામાં સારવાર તો આપવામાં આવે જ છે પરંતુ અવર નવાર આવા કેમ્પોનુ આયોજન કરવામાં આવશે અને જહેર જનાતાને વધુમાં વધુ લાભ મળી રહે તેવા પ્રયત્નો કરવાનુ જણાવેલ છે. તદ ઉપરાંત અન્ય મોટા ઓપરેશની જરૂર જણાય તેવા દર્દીઓને મફતમાં સારવાર પુરી પાડવામાં આવશે તેવુ જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.