આગામી તા.૧૧ ના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વીંછિયામાં: અબજો રૂપિયાનું ખાત મુહુર્ત અને લોકાર્પણ કરશે - At This Time

આગામી તા.૧૧ ના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વીંછિયામાં: અબજો રૂપિયાનું ખાત મુહુર્ત અને લોકાર્પણ કરશે


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તા.૧૧ ના વીંછિયા ખાતે રૂ. ૩૩૭.૩૬ કરોડના સૌની યોજનાના  પ્રોજેક્‍ટ સહિત સાત જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે, ત્‍યારે આ કાર્યક્રમ સંદર્ભે આજે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ  કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લઈ  તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. 

વીંછિયા માર્કેટિંગ યાર્ડની સામેના મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમ અંગે પ્રાંત અધિકારી રાજેશ આલ અને વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ સાથે મંત્રીએ પાર્કિંગ, વી. આઈ.પી. તેમજ અન્‍ય બેઠક વ્‍યવસ્‍થા અને બેઠક ક્ષમતા, જાહેર સલામતી અને અન્‍ય વ્‍યવસ્‍થાઓ તથા ઉદઘાટીત થનાર વિવિધ વિકાસ પ્રકલ્‍પોની પ્રગતિ વિશે માહિતી મેળવી સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે જસદણ વીંછિયા પંથકમાં ભાજપ થકી જ અબજો રૂપિયાના વિકાસના કામો થઈ રહ્યાં છે આ વિસ્તારના કામો અભૂતપૂર્વ અને ઐતિહાસિક બની જશે વિજયભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે એક સમયે આ બન્ને તાલુકા પછાત ગણાતા તે આવનારા સમયમાં પછાત ભુલી જવાશે એટલા બધાં આ વિસ્તારના કામો થયાં છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાની રાત દીવસની મહેનત આ બન્ને વિસ્તારોને નંદનવન કરી દેશે રાજયના ડાયનેમિક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અમો ખરાં દિલથી આવકારીએ છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.