જંગવડ ગામે રંગાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગઈકાલ કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ યોજાયો - At This Time

જંગવડ ગામે રંગાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગઈકાલ કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ યોજાયો


જસદણ તાલુકાના જંગવડ ગામે રંગાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થયું છે જેમાં વક્તા તરીકે આશિષભાઈ ભટ્ટ દ્વારા પોતાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે આ કથામાં તારીખ 5 મે ના રોજ ભવ્ય કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ યોજાયો હતો અને આ ઉત્સવમાં સમગ્ર રંગાણી પરિવાર અને ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. તેમજ છ મેના રોજ ગોવર્ધન ઉત્સવ અને સાત મેના રોજ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ યોજાશે તેમજ આઠ મેના રોજ કથા ની પૂર્ણાહુતિ કરવામાં આવશે. સાત મે ના રોજ રાત્રે 9:00 કલાકે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકગાયિકા કાજલ પટેલ અને ભજનીક ભીખુભાઈ પટેલ તેમજ સાહિત્યકાર ચંદ્રકાંત બારોટ પધારશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.