મહાત્મા જ્યોતિરાવ ફુલેને પૂષ્પાજંલી અર્પણ અને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવેલ - At This Time

મહાત્મા જ્યોતિરાવ ફુલેને પૂષ્પાજંલી અર્પણ અને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવેલ


તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૨ રાત્રે ૯ વાગે કોળી સમાજનાં આગેવાન રવજીભાઈ વાટુકીયાના નિવાસસ્થાને તુલશીનગર ૧ ઢાંકણીયા રોડ બોટાદ ખાતે ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદનાં બેનર હેઠળ સામાજિક ક્રાન્તિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફુલેના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે પૂષ્પાજંલી કાર્યક્રમ અને સંવિધાન દિવસની ઉજવણી વિશે પ્રવચન રાખવામાં આવેલ
જેમાં ભારતીય બૌધ્ધ મહાસભાના જિલ્લા અધ્યક્ષ બોટાદ.પરેશભાઈ રાઠોડ ઉર્ફ બોધીરાજ બૌધ્ધ દ્વારા ત્રિશરણ.પંચશીલ. બુદ્ધ વંદના કરવામાં આવેલ તેમજ મહાત્મા જ્યોતિરાવ ફુલેના જીવન સંઘર્ષ અને બલિદાન વિશે પ્રવચન આપવામાં આવેલ
ઓબીસી એક્તા પરિષદના ગુજરાત પ્રદેશ પ્રમુખ.વિઠ્ઠલભાઈ બોળીયા (મૌર્ય) દ્વારા મહાત્મા ફુલે અને બાબાસાહેબના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવા માટે દરેક સમાજનાં આગેવાનો આગળ આવવાં માટે અનુરોધ કરવામાં આવેલ
સંવિધાન દિવસની ઉજવણી અને મહાત્મા ફુલેના જીવન સંઘર્ષ વિશે વક્તાઓ દ્વારા પ્રવચન આપવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત. પરેશભાઈ રાઠોડ.વિઠ્ઠલભાઈ બોળીયા.રવજીભાઈ વાટુકીયા.હરેશભાઈ પરમાર.જયેશભાઈ પરમાર.નિલેશભાઈ મકવાણા. જયેશભાઈ બોરીચા તેમજ તુલશીનગર ૧ ના સ્થાનિક આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને મહાત્મા જ્યોતિરાવ ફુલેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.