બોટાદ વિધાનસભા ના ઉમેદવાર ની ઘનશ્યામભાઈ વિરાણીએ સુપ્રસિદ્ધ મંદિરો માં દર્શન કરી સંતોના આશિર્વાદ લીધા - At This Time

બોટાદ વિધાનસભા ના ઉમેદવાર ની ઘનશ્યામભાઈ વિરાણીએ સુપ્રસિદ્ધ મંદિરો માં દર્શન કરી સંતોના આશિર્વાદ લીધા


ભાજપ ના ઉમેદવાર કાર્યકરો સાથે પાળીયાદ , સાળંગપુર , ગઢડા મંદિરે કર્યા દર્શન

૧૦૭ બોટાદ વિધાનસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી એ પોતાના નામની પાટીએ જાહેરાત કરતા આભાર વ્યક્ત કરી દરેકને સાથે રાખીને વિકાસના કાર્યોને વેગ આપવા જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ ચુંટણી પ્રચાર ના શ્રી ગણેશ પહેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિર પાળીયાદ વિસામણ બાપુની જગ્યા તથા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર અને ગઢડા બી.એ.પી.એસ. મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. તેમજ સંતો અને મહંતોએ ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીને ફૂલહાર પહેરાવી જીતના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રીઓ અને ભાજપના આગેવાનોની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો અને શુભેચ્છકો પણ સાથે જોડાયા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.