રાજકોટથી જતી બે ટ્રેનને થાન અને સુરેન્દ્રનગર સ્ટોપેજ મળશે - At This Time

રાજકોટથી જતી બે ટ્રેનને થાન અને સુરેન્દ્રનગર સ્ટોપેજ મળશે


રાજકોટ-દિલ્હી સરાઇ રોહિલ્લા ટ્રેન થાન અને ઓખા-તૂતીકોરિન સુરેન્દ્રનગર ઊભી રહેશે.

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ-દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસને થાન સ્ટેશન પર અને ઓખા-તૂતીકોરિન વિવેક એક્સપ્રેસને સુરેન્દ્રનગર સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે છ મહિના માટે વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે 30મી જૂન, 2022થી ઉપડનારી રાજકોટ-દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસને થાન સ્ટેશન પર સ્ટોપેજ અપાશે. આ ટ્રેન થાન સ્ટેશને 3.59 કલાકે પહોંચશે અને 4.01 કલાકે ઉપડશે. એ જ રીતે, 1 જુલાઇથી ઉપડનારી દિલ્હી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ થાન સ્ટેશન પર 7.35 કલાકે આવશે અને 7.37 કલાકે ઉપડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.