બોટાદના જ્યોતિગ્રામ શંકર પાસે પીકઅપ બસ સ્ટેશન બનાવવા બાબતે અધિકારીઓએ લીધી મુલાકાત - At This Time

બોટાદના જ્યોતિગ્રામ શંકર પાસે પીકઅપ બસ સ્ટેશન બનાવવા બાબતે અધિકારીઓએ લીધી મુલાકાત


બોટાદ શહેરમાં દિવસે અને દિવસે માણસો દ્વારા બહારગામની અવરજવરને લઈ બોટાદ જ્યોતિગ્રામ સર્કલ પાસે એસટી ડેપો દ્વારા એક પીક અપ બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી તેમાં વિભાગીય નિયામક કચેરી ભાવનગરના અધિકારી એમ.ડી. શુકલ સાહેબ તથા બોટાદ એસટી ડેપો મેનેજર મયુરભાઈ ત્રિવેદી સાહેબ તેમજ ડેપ્યુટી પી.જી.વી.સી.એલ બી એલ પટેલ સાહેબ તથા બોટાદ પોલીસ સ્ટેશન પીઆઇ વી.પી ગોલ સાહેબ તેમજ બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા સહિત અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.