બોટાદ પીજીવીસીએલ : તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ જરૂરી સમારકામ કામગીરી અર્થે બોટાદ શહેરના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/azuidjzr7avnvsop/" left="-10"]

બોટાદ પીજીવીસીએલ : તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ જરૂરી સમારકામ કામગીરી અર્થે બોટાદ શહેરના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે


સવારે ૮:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

તા.૧૫ :- બોટાદ પીજીવીસીએલ,પેટાવિભાગીય કચેરીના નાયબ ઈજનેરશ્રી તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે કે, તા. ૧૮/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ જરૂરી સમારકામ કામગીરી અર્થે બોટાદ શહેર પેટા વિભાગીય કચેરી ૧ અંતર્ગત આવતા તથા ૬૬ કેવી બોટાદ સબ સ્ટેશન ૨ (કપલીધાર સબ સ્ટેશન) થી નીકળતા ૧૧ કેવી ગાયત્રીનગર અર્બન તથા ૧૧ કેવી સોનાવાલા અર્બન હેઠળ આવતા સારંગપુર રોડ, ખસ રોડ, ટાઢાંની વાડી, સોનાવાલા હોસ્પિટલ આજુબાજુનો વિસ્તાર, ભરવાડ વાસ, અળવ રોડ, ખોડિયાર નગર ૧, ખોડિયાર નગર ૨, રેલવે સ્ટેશન પાસેનો વિસ્તાર, મિલેટ્રી રોડ વિસ્તારમા સવારે ૮.૦૦ વાગ્યેથી બપોરે ૨.૦૦ વાગ્યે સુધી પાવર કાપ રહેશે. સમારકામ પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વિના પાવર સપ્લાય ચાલુ કરવામાં આવશે.લાઈટ બંધની ફરિયાદનાં નિવારણ માટે ફોન નંબર ૦૨૮૪૯-૨૫૧૪૧૮નો સંપર્ક કરવો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]