સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો તલોદના મોતેસરી ખાતેથી શુભારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aurcvqmfbr4bxp75/" left="-10"]

સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો તલોદના મોતેસરી ખાતેથી શુભારંભ


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત તળાવો, ચેકડેમો ઉંડા કરવાનું કાર્ય ઝંબેશરૂપે હાથ ધરવામાં આવશે. જે અન્વયે સાબરકાંઠા જિલ્લામાં આજે  તા. ૧૭-૦૨-૨૦૨૩, શુક્રવાર સવારે ૯:૦૦ કલાકે  તલોદ તાલુકાના મોતેસરી  ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન - ૨૦૨૩ ના શુભારંભ યોજાશે.  સાબરકાંઠા અરવલ્લી સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાશે.  આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા,  પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર,   હિંમતનગર ધારાસભ્યશ્રી વિ.ડી. ઝાલા, ખેડબ્રહ્મા  ધારાસભ્યશ્રી ડો.તુષાર ચૌધરી ઉપસ્થિત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]