ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માત: શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલીને ટ્રકે ટક્કર મારતા 8ના મોત, અનેક ઘાયલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/accident-in-uttarakhand-8-killed-many-injured-as-truck-hits-tractor-trolley-of-devotees/" left="-10"]

ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માત: શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલીને ટ્રકે ટક્કર મારતા 8ના મોત, અનેક ઘાયલ


દેહરાદૂન, તા. 28 ઓગષ્ટ 2022, રવિવારઉત્તરાખંડના દેહરાદૂનમાં રવિવારે સવારે એક દુ:ખદ અકસ્માત થયો હતો. તેજ રફ્તાર એક ટ્રકે ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થઈ ગયા છે અને અન્ય ઘાયલ થયા છે. પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માત સમયે શક્તિફાર્મની બસગર ગ્રામસભાના 60-70 જેટલા લોકો ટ્રેક્ટર-ટ્રોલીમાં ઉત્તમનગરમાં ગુરુદ્વારાના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે વળાંક પર પાછળથી આવતી તેજ રફ્તાર ટ્રકે ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. ટક્કર એવી હતી કે, ટક્કર બાદ ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ હતી.આ દર્દનાક માર્ગ અકસ્માત NH 74 પર થયો છે. માર્ગ અકસ્માત બાદ હાઈવે બ્લોક થઈ ગયો હતો. અકસ્માત બાદ શ્રદ્ધાળુઓમાં આક્રોશ ફેલાયો હતો. માર્ગ અકસ્માતની જાણ થતાં જ લોકો અકસ્માતગ્રસ્તોની મદદ કરવા દોડી આવ્યા હતા. પોલીસ સાથે મળીને લોકો એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.ઘટનાસ્થળે પાંચ લોકોના જ મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, પોલીસ અધિકારીઓ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. ઘટનાસ્થળે જાણકારી મળ્યા બાદ ઉધમ સિંહ નગર જિલ્લાના પુલભટ્ટા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પણ મદદ માટે પહોંચ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]