ધો.12 ની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થી સૂરજ જોષીનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

ધો.12 ની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થી સૂરજ જોષીનો ફાંસો ખાઈ આપઘાત


પુજારા પ્લોટમાં રહેતાં ધો.12 કોમર્સના વિદ્યાર્થીએ પરીક્ષા પુરી થયાં બાદ મિત્રોને મળી મોડી રાતના અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના પુજારા પ્લોટ શેરી નં.8 માં પ્રેયસીસ બી. એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.201 માં રહેતાં સૂરજ મનીષભાઈ જોષી (ઉ.વ.20) ગઈકાલે રાતના પોતાના રૂમમાં ગયો બાદ પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પરિવારજનોએ રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતાં પરિવારના લોકોએ દરવાજો તોડી અંદર તપાસ કરતાં પુત્ર લટકેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. બાદમાં 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ના ઈએમટી દિપકભાઈએ યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી.એસ.ગોહિલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક સૂરજ ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતો અને ગઈકાલે જ તેમને પરીક્ષા પુરી કરી હતી. બાદમાં રાતે મિત્રોને મળી તે ઘરે આવી રૂમમાં જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. મૃતક પરિવારનો એક નો એક પુત્ર હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.