J&Kમાં 37 ITBP જવાનોની બસને નડ્યો અકસ્માત : 6 સૈનિકો શહીદ - At This Time

J&Kમાં 37 ITBP જવાનોની બસને નડ્યો અકસ્માત : 6 સૈનિકો શહીદ


- આ બધા જવાનો અમરનાથ યાત્રાની ડ્યૂટી પૂરી કરી પરત ફરી રહ્યા હતાશ્રીનગર, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવારજમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો અકસ્માત થયો છે. પહલગામના ચંદનવાડીમાં ITBPના જવાનોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 6 જવાનો શહીદ થઈ ગયા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘટના સ્થળ પર 19 એમ્બ્યુલન્સ તૈનાત છે. મળતી માહિતી પ્રમાણે એક બસ ચંદનવાડીથી પહલગામ ITBP જવાનોને લઈને જઈ રહી હતી. બ્રેક ફેલ થવાના કારણે બસ ખીણમાં પડી ગઈ હતી. બસમાં 39 જવાનો સવાર હતા. 37 જવાનો ITBPના અને બે જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. આ અકસ્માતનો વીડિયો ANI દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ બધા જવાનો અમરનાથ યાત્રાની ડ્યૂટી પર હતા. અમરનાથ યાત્રા પૂરી થયા બાદ જવાનો પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બ્રેક ફેલ થવાના કારણે બસ ખાઈમાં ખાબકી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અનંતનાગ જિલ્લામાં ચંદનવાડી પહલગામ નજીક માર્ગ દુર્ઘટનામાં ITBP 6 જવાનો શહીદ થઈ ગયા છે અને અન્ય ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે સેના હોસ્પિટલ શ્રીનગર લઈ જવામાં આવ્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.