રાજકોટમાં પરમેશ્વરી હબ નામના બિલ્ડીંગમાં આગ લાગી, ધુમાડાના ગોટેગોટા નીકળ્યા, લાખોનું નુકસાન થવાની ભીતિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/titqezpamfgirmmp/" left="-10"]

રાજકોટમાં પરમેશ્વરી હબ નામના બિલ્ડીંગમાં આગ લાગી, ધુમાડાના ગોટેગોટા નીકળ્યા, લાખોનું નુકસાન થવાની ભીતિ


રાજકોટની સોની બજારમાં આજે ભીષણ આગ લાગ્યાના દૃશ્યો સર્જાયા હતા. જ્યાં પરમેશ્વરી હબ નામના બિલ્ડીંગમાં વિકરાળ આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગજનીનો બનાવ સામે આવતાની સાથે જ તાત્કાલિક અસરથી રાજકોટ મનપાનો ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો. તો સાથો સાથ તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલ આગને પગલે કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]