આજે દેવદિવાળી સાથે તુલસી વિવાહ પૂજન. - At This Time

આજે દેવદિવાળી સાથે તુલસી વિવાહ પૂજન.


આજે દેવદિવાળી સાથે તુલસી વિવાહ પૂજન
કારતક સુદ અગિયારસને તા. 23 નવેમ્બરને ગુરૂવારના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે એવી માન્યતા છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તથા સૌ રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધા જ પાપ નાશ પામે છે.
શેરડીનો માંડવો બનાવવાનું મહત્વ
દેવદિવાળીના દિવસે ખાસ કરીને તુલસી પૂજાનું તથા શાલિગ્રામની પૂજાનું મહત્વ વધારે છે. સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજીને ચુંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાશી ઉપર રાખવા તેના ઉપર શેરડીના સાંઠાનો માંડવો કરવો, ભગવાનને કુદરતી લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તે ઉપરાંત શેરડી ધરવામાં આવે છે. શેરડીમાં ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવાથી દાંપત્યજીવનમાં પણ મીઠાશ આવે છે. અષાઢી સુદ અગિયારસના દિવસથી દેવતાઓ પોઢી જાય છે અને દેવદિવાળીના દિવસથી દેવતાઓ જાગે છે. આથી આ દિવસ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે.
તુલસી વિવાહનું પૂજન
દેવદિવાળીના દિવસે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલાતા બોલતા તુલસીપત્ર ચડાવવા ઉત્તમ છે. તુલસી વિવાહ માટે સાંજે પ્રદોષ કાળ શુભ સમય સાંજના 6.0ર થી 8.38 સુધીનો છે. તુલસી વિવાહ કરવાથી ઘરમાં સુખ- શાંતિમાં વધારો થાય છે અને દાંપત્યજીવનમાં મીઠાશ આવે છે. જે કોઇ લોકોને પોતાની કુંવારી ક્ધયા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ લોકો કરાવતા હોય છે. દેવદિવાળીના દિવસે સાંજના સમયે તુલસીજી પાસે ચોખ્ખા ઘીનો દીવો કરી તુલસી તથા શાલિગ્રામનું પૂજન કરી 108 અથવા તો 1000 વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલીને 11 પ્રદક્ષિણા કરવાથી જીવનની મુસીબતો દુર થાય છે.
દેવદિવાળીમાં ભગવાનનું ખાસ પૂજન કરવામાં આવે છે. દેવતાઓની દિવાળી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે. શાલિગ્રામ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. આથી ભગવાનની ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે.
દેવદિવાળી તુલસી વિવાહ વિશે ખાસ માહિતી
જેમ કોઇનો કુંવારો પુત્ર હોય તો તેની પાછળ લીલ પરણાવવામાં આવે છે અને જે કોઇ લોકોની પોતાની કુંવારી ક્ધયા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ કરાવવાનું વિધાન છે. આમ તેની પાછળ તુલસી વિવાહ કરાવવાથી તેને મોક્ષ ગતિ મળે છે.
શાલીગ્રામની પૂજાનું મહત્વ
દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ કરાવાથી તથા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલી અને શાલીગ્રામ ઉપર તુલસી ચઢાવવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને દામ્પત્ય જીવનમાં મીઠાશ રહે છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.