ગઢડા ખાતે પૂજ્ય શ્રી ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને કોળી સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો - At This Time

ગઢડા ખાતે પૂજ્ય શ્રી ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને કોળી સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો


ગઢડા કોળી સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં બોટાદ રોડ થી ખોડીયાર નગર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા બોટાદ જિલ્લાના ગઢડા ના ખોડીયાર નગર વિસ્તારમાં કોળી સમાજનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો અમદાવાદ સરખેજ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર પૂજ્ય ઋષિ ભારતી બાપુ ના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં બોટાદ રોડ થી ખોડીયાર નગર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો જોડાયા હતા. ગઢડાના ખોડીયાર નગર ખાતે યોજાયેલ કોળી સમાજ સ્નેહમિલન સમારોહ માં પૂજ્ય ઋષિ ભારતી બાપુ ને કોળી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા સાલ ઓઢાળી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદ સરખેજ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર પૂજ્ય ઋષિ ભારતી બાપુએ ઉદબોધન માં જણાવેલ કે આવતા દિવસોમાં સંગઠન અને એકતા ની જરૂર છે સાથે યુવાનો વ્યસનથી મુક્ત થાય અને શિક્ષણ તરફ સમાજ વધુ આગળ વધે તેવું બાપુએ જણાવ્યું હતું ગઢડા ખાતે યોજાયેલ કોળી સમાજ સ્નેહમિલન સમારોહ માં અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી, કરસનભાઈ ચૌહાણ, ભુપતભાઈ ડાભી, નરેશભાઈ મકવાણા તેમજ કોળી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગઢડા નગરપાલિકાના પૂર્વ નગર સેવક કિશોરભાઈ વેલાણી એ કર્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.