અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક પાસે અગમ્ય કારણો સર ટ્રેન નીચે પડી અંતિમ પગલું ભરતાં પરિવારમાં શોક. - At This Time

અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક પાસે અગમ્ય કારણો સર ટ્રેન નીચે પડી અંતિમ પગલું ભરતાં પરિવારમાં શોક.


AMC ના મણિનગર વૉર્ડમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા આશરે ૪૨ વર્ષના દિપક સોલંકી નામનાં યુવકે એ નવજીવન ટ્રેન સામે અગમ્ય કારણ સર પડતું મુકયુ,

મણીનગર રેલ્વે ફાટક બંધ હતું તે દરમ્યાન સાંજ ના સમયે મણિનગર તરફ આવી રહેલ નવજીવન એક્સપ્રેસ રેલગાડી જેવી ફાટક પાસે આવી તે સાથે આંખના પલકારામાં જ આ યુવક રેલ ના પાટાની વચ્ચે રીતસર નો સુઈ જતા તેની પર આ રેલગાડી પસાર થતા તેનું શરીર ક્ષતવિક્ષત થઈ ગયું અને લોકોની ચિચિયારી ઓ અને ફાટકમેન ની બુમો ની પણ અવગણના કરી આ યુવકે જાહેરમાં મોત વ્હાલું કર્યું,

વી એસ હોસ્પિટલમાં અને મણિનગર ની એલ જી હોસ્પિટલ માં ચાલતી સારવાર ને લઈ ને તેની પાસે થી કેસ ચોપડી અને રીપોર્ટ ના કેસો મળી આવ્યા હતા,

ઈસનપુર ની જોગેશ્વર સોસાયટીમાં રહેતા અપરણિત યુવકે સારવાર થી કંટાળી ને આ પગલું ભયુઁ હોવા નું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે,

પરિજનો ને ઘટના ની જાણ થતાં પરિજનો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા,
મણિનગર પોલીસ અને રેલ્વે પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી,

મળતી માહિતી મુજબ આ ઉપરોક્ત ઘટના બાબતે અકસ્માત ના ગુનાની નોંધ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે,

મણિનગર રેલ્વે ફાટક નંબર - ૩૦૮ પર લગાવેલ રેલ્વે પોલીસ ના CCTV માં આ સમગ્ર ઘટના કેદ.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.