બોટાદમાં રૂટ ડાયવર્ઝનને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું - At This Time

બોટાદમાં રૂટ ડાયવર્ઝનને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું


આગામી તા. ૨૪/૧૦/૨૦૨૨ થી તા.૦૫/૧૧/૨૦૨૨ સુધી દિવાળી તહેવાર હોય અને આ તહેવારો દરમિયાન સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુજરાતના શહેરો/ ગ્રામ્ય તથા આજુબાજુના રાજ્યના આશરે પાંચ થી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓ સાળંગપુર ગામે બાય રોડ આવતા હોય જેથી વાહનોની ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત અટકાવવા તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે નીચેની વિગતે જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડ્રાયવર્ડ કરવો ખૂબ જ જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર વાહનોને પસાર થવાનો ઉક્ત હુકમ ફરમાવ્યો છે.

આ જાહેરનામામા દર્શાવ્યાં મુજબ વાહનોના પ્રવેશ માટે અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી તથા ભાવનગર-વલ્લભીપુર તરફથી સાળંગપુર-બોટાદ તરફ જતા વાહનો માટે ફક્ત કેરીયાઢાળથી વાહનોને પ્રવેશ કરાવવો જરૂર છે. જેથી કેરીયાઢાળ-લાઠીદડ- જ્યોતિગ્રામ સર્કલ (બોટાદ) તરફ વાહનો પસાર કરવા જરૂરી છે.

બોટાદથી અમદાવાદ તરફ જતાં વાહનો માટે બોટાદ-મીલીટ્રી રોડ- રાણપુર-ધંધુકા રૂટ પરથી વાહનો પસાર કરવા જરૂરી જણાય છે.બોટાદથી બરવાળા તરફ જતા મોટા વાહનો માટે સેથળી- સમઢીયાળા લાઠીદડ-કેરીયાઢાળ થઈ પસાર થવાનું જરૂરી જણાય છે.

તેવી જ રીતે પ્રવેશ નિષેધ માટે અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી તથા ભાવનગર-વલ્લભીપુર તરફથી સાળંગપુર-બોટાદ તરફ જતાં વાહનો માટે બરવાળા-સાળંગપુર ટી પોઇન્ટથી પ્રવેશ નિષેધ કરવો જરૂરી જણાય છે.

આ જાહેરનામું તા.૨૪/૧૦/૨૦૨૨ સવારના ૦૭:૦૦ કલાકથી તા.૦૫/૧૧/૨૦૨૨ ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

જાહેરનામાના અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.