ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી નિમિત્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. - At This Time

ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી નિમિત્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.


આવનારી 17 એપ્રિલના રોજ ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાનાર હોય જેના અનુસંધાને ગઢડા ભાવસાર સમાજની વાડી ખાતે પ.પૂ છપૈયા સ્વામી, પાર્ષદ રમેશ ભગત, પાર્ષદ વિપુલ ભગત તેમજ શહેરના દરેક સમાજના અગ્રણીઓ, સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી શ્રી દેવજીભાઈ મિયાત્રા,બોટાદ જિલ્લા વિહિપના સભ્યો અને બજરંગદળ ઉપસ્થિતમાં દીપપ્રાગટય કરીને કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું.
વિહિપના અધ્યક્ષ અર્જુનભાઇ રાજ્યગુરુએ શાબ્દિક સ્વાગત પ્રવચન કરી ધર્મપ્રેમી જનતાને આ રામનવમીની શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાવવા આહવાન કરવામાં આવ્યુ .આ કાર્યક્રમની આભારવિધિ વિહિપ મંત્રી ગૌસેવક ચંદ્રકાન્તભાઈ સોલંકીએ કરી સૌનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ કાર્યક્રમનુ સંચાલન જીગ્નેશભાઈ કંડોળીયા દ્વારા કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગઢડા વિશ્વ હિન્દુ પરિષદની સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.