મહિસાગર : કડાણા તેમજ દિવડા કોલોની ખાતે રામલલા ની શોભાયાત્રા.. - At This Time

મહિસાગર : કડાણા તેમજ દિવડા કોલોની ખાતે રામલલા ની શોભાયાત્રા..


કડાણા તેમજ દિવડા કોલોની ખાતે રામલલા ની શોભાયાત્રા..... અયોધ્યા રામમંદિરમાં રામલલા ની પ્રાણ પ્રતિસ્થા નિમિત્તે કડાણા તાલુકાના કડાણા ગામે રામજી મંદિરથી નાના ભૂલકાઓ દ્વારાં રામ, સીતા,લક્ષ્મણ,અને હનુમાનજીનો વેશ ધારણ કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં યુવાનો, વડીલો તેમજ ગામના અનેક ભાવિકજનો જોડાયા હતા. બપોરે બે વાગ્યે ગામમાંથી શોભાયાત્રા નીકળી દિવડા કોલોની વસાહત થઈ પરત કડાણા ગામે આવેલ હતી ખુબજ મોટી સંખ્યામાં હાજરી જોવા મળતી હતી. સાંજે સાત વાગે મહા આરતીનું આયોજન મંદિરે રાખવામાં આવ્યું હતુ તેમજ આખું ગામ દીવડાઓ થી જગમગી ઉઠ્યું હતું રામલલા ના જય ઘોષ સાથે સૌએ ધન્યતા અનુભવી હતી મહા પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સાંજે આઠ કલાકે હનુમાનજી મંદિરે શ્રી માનવેન્દ્રભાઈ એ.જોષી દ્વારા સુંદરકાંડ નું પઠન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.