વિસાવદર શહેર મા વર્ષોજૂની ટ્રાફિકસમસ્યા ક્યારે હલ થશે - At This Time

વિસાવદર શહેર મા વર્ષોજૂની ટ્રાફિકસમસ્યા ક્યારે હલ થશે


વિસાવદર શહેરમાં મેઇન બજારમાં ટ્રાફીકની સમસ્યા. શહેરમાં વર્ષોથી મેઇન બજારમાં ટ્રાફીકની સમસ્યા માટે અવાર નવાર રજુઆત કરવામાં આવેલ છે. હાલ દિવાળીના તહેવારોમાં મેઇન બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો ગમે ત્યા વાહન પાર્કીંગ કરીને અને ગાડીઓ રસ્તા ઉપર રાખે છે. તેમજ વિસાવદરની નજીકમાં આવેલ પવિત્ર યાત્રાધામ સતાધાર આપાગીગાની જગ્યા અને રામપરા મા રૂપલ ધામ તથા સતાધાર જગ્યાઓ આવેલ હોય. ત્યા ૧૮ રે આલમ એકજ પંગતમાં બેસી જમાડવામા આવે છે. ટુકડો ત્યા હરી ઢુકડો દિવાળીના તહેવાર ઉપર દેશ પરદેશથી આવતા યાત્રીકો, પ્રવાસીઓ પોતાની માનતા ધરવા આવતા હોય તો વિસાવદરની મેઇન બજારમાં નગર પાલીકા વહીવટી તંત્ર દ્રારા, વેપારી વર્ગ અને પોલીસ તંત્ર ત્રિવેણી સંગમ સાથે મળી ટ્રાફીકની સમસ્યા હળવી બને તેવા પ્રયત્નો કરે તો વિસાવદરમાં મેઇન બજારમાં ટ્રાફીકની સમસ્યા હલ થાય તેવી સ્થાનિક લોકોની માગ છે.

રિપોર્ટર એ. જે. ગેગડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.