waterfall ગુજરાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/13rq9fsahitayoqn/" left="-10"]

waterfall ગુજરાત


નમસ્કાર મિત્રો અમારી ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે

સાબરકાંઠા જિલ્લા બાજુમાં આવેલા ભિલોડા તાલુકાનું સુનસર ગામ હાલ ચોમાસાની સિઝનમાં પ્રખ્યાત એટલે સુનસર ધોધ

અમદાવાદ થી સુનસર ધોધ કરી બંધ 135 કિલોમીટર થાય છે અને સાબરકાંઠા મુખ્ય શહેર થી હિંમતનગર થી 37 km થાય છે જો આ જગ્યાએ આપને ફેમિલી સાથે જવાનું ઈચ્છા તો હિંમતનગર થી માવી નગર ચાર રસ્તા ખેડ તસિયા રોડ ઉપરથી નવા ત્યારબાદ બલોચપુર .રામપુર. પોશીના વાળા રોડ ઉપરથી સુણસર ગામ ખાતે જઈ શકો છો ગામની નજીક જ આ ધોધ આવેલો છે આ ધોધ ની જગા પર એક મંદિર આવેલું છે તેનું નામ કંડેશ્વર મહાદેવ છે એ જગા નું નામ ધરતી માંથી આ જગા ઓળખાય છે
મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો ભૂલશો નહિ

તમે તમારી ફેમિલી સાથે એક દિવસીએ પિકનિક માટે ખરેખર આ જગા ઉપર જવા જેવું છે આપના ટુ વ્હીલર અથવા ફોરવીલર આ જગા ઉપર જઈ શકો છો રસ્તા પણ સારો છે તમે આ જગ્યાએ આવીને કુદરતનો નજારો તમારી ફેમિલી સાથે જોઈ શકશો હાલ તો આ જગા અરવલ્લી જિલ્લામાં ભિલોડા ના તાલુકામાં સુણસર ગામ આવેલું છે અને બિલકુલ સાબરકાંઠાના બોર્ડર ઉપર આવેલી છે

સુનસન ધોધ waterfall આ જગા ઉપર તમને ચા નાસ્તા માટે નાના નાના કેબિન તથા લારીઓ મળી રહેશે અને ચોમાસાની સિઝનમાં શેકેલા અથવા બાફેલા મકાઈ અહીંયા ખાવા માટે સારી એવી જગ્યા પણ છે તેમજ ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા અહીંયા દેખરેખ રાખવામાં આવે છે આ વર્ષે આઝાદીના અમૃત ઉત્સવ નિમિત્તે ધોધ ઉપર તિરંગા લાઈટ થી સજાવવામાં આવ્યો હતો અને ડીજેના તાલ સાથે દેશના ગીતો વગાડવામાં આવ્યા હતા
આ જગા ઉપર આપણે ફેમિલી સાથે અથવા મિત્રો સાથે એક દિવસે પિકનિક જરૂર કરશો આપ દૂર સાપુતારા જવાનું પણ ભૂલી જશો

મુલાકાત દરમિયાન સરપંચની તેમની અમારા જોડે તેમની વાત પણ રજૂ કરી આવો સાંભળીએ તેમની વાત

ચીફ બ્યુરો સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]