દાહોદ માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બુધવારે યોજશે સ્નેહમિલન કાર્યક્રમ. - At This Time

દાહોદ માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બુધવારે યોજશે સ્નેહમિલન કાર્યક્રમ.


લોકોનું નવું વર્ષ સંયમ, સાદગી, સાધના, સંસ્કાર અને સ્વાસ્થ્ય, સુખ સમૃદ્ધિ સભર બને તે શુભકામનાઓ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નૂતન વર્ષની શરૂઆત નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લનો સ્નેહમિલન કાર્યક્રમ દાહોદ ખાતે તોપી હોલ દાહોદ ખાતે યોગ બોર્ડ ના ચેરમેન શિશપાલજીની ઉપસ્થિતીમાં તા.29/11/23 બુધવારે બપોરે 3 થી 6 દરમ્યાન યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની સ્થાપના કરવામાં આવી છે. જેના દ્વારા તમામ જિલ્લામાં યોગ કોચ નિમવા, યોગ કોચને તાલીમ આપવી, દરેક યોગ કોચ હેઠળ 100 જેટલાં યોગ ટ્રેનરો તૈયાર કરવા યોગ ટ્રેનરો દ્વારા યોગ વર્ગો, વિવિધ વિસ્તારમાં ચાલુ કરવા વગેરે કામગીરી દ્વારા યોગને તમામ લોકો સુધી પહોંચાડવા પુરુસાર્થ કરવામાં આવી રહ્યો છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.