મહાપ્રભુજી બેઠકજી ૫૬ ભોગ મનોરથ દર્શનનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zxxxajerxeazzwy7/" left="-10"]

મહાપ્રભુજી બેઠકજી ૫૬ ભોગ મનોરથ દર્શનનું આયોજન


મથુરા રાજાધિરાજ મંદિર ખાતેથી શોભાયાત્રા‌

( નિમેષ સોની, ડભોઈ)

વ્રજ મોહે બીસરત નહિ અંતર્ગત આવતીકાલે તારીખ ૨૫/૦૯/૨૩ સોમવારે મથુરા ખાતે વલ્લભ કુલભૂષણ વૈષ્ણવના સરકાર‌ કાંકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજશ્રી, પૂજ્ય વેદાંતકુમારજી મહોદયશ્રી, પૂજ્યશ્રી સિદ્ધાંતકુમારજી મહોદયશ્રીના પાવન નિશ્રામાં રાજાધિરાજ મંદિર ખાતેથી સવારે ૮:૩૦ કલાકે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા વિશ્રામઘાટ સુધી નીકળશે. ત્યાં પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં મૉ યમુનાજીનું પૂજન યમુનાજી કા નિયમ સંકલ્પ પર આવેલ વિશ્રામઘાટ ઉપર આવેલ મહાપ્રભુજીની બેઠકજી ઉપર જારી ચરણસ્પર્શના કાર્યક્રમનું સુંદર આયોજન હાથ ધરેલ છે. ઉપરાંત સાંજના ૪:૦૯ કલાકે રાજાધિરાજ પ્રભુશ્રી દ્વારકાધીશ મંદિર ખાતે પ્રભુશ્રી નો ૫૬ ભોગનો બડો મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. તો સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને વ્રજયાત્રી યાત્રામાં નીકળેલા સૌ વૈષ્ણવોએ જેની નોંધ લેવા આયોજકો દ્વારા જણાવવામાં આવે છે.9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]