ભાવનગર શિશુવિહાર બુધસભાના અને અમરેલીના કવિઓનું કવિ સંમેલન શ્રી સર્વોદય સરસ્વતી મંદિર,બાબાપુરના આંગણે યોજાયું. - At This Time

ભાવનગર શિશુવિહાર બુધસભાના અને અમરેલીના કવિઓનું કવિ સંમેલન શ્રી સર્વોદય સરસ્વતી મંદિર,બાબાપુરના આંગણે યોજાયું.


ભાવનગર શિશુવિહાર બુધસભાના અને અમરેલીના કવિઓનું કવિ સંમેલન શ્રી સર્વોદય સરસ્વતી મંદિર,બાબાપુરના આંગણે યોજાયું.

તા. ૨૭ - ૦૪ - ૨૦૨૪ ને શનિવારે સાંજે ૪- વાગ્યે શ્રી સર્વોદય સરસ્વતી મંદિર, બાબાપુરમાં શિશુવિહાર બુધસભા ભાવનગર. અને રમેશ પારેખ સાહિત્ય વર્તુળ અમરેલી જિલ્લાના કવિઓનું કવિ સંમેલનનો અદભુત  કાર્યક્રમ યોજાયો હતો....આ સંમેલનમાં ઉપસ્થિત ૩૮ થી વધુ કવિ કવિયત્રી ઓએ ભાવકોની ભરપૂર દાદ મેળવીહતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી મનોહર ત્રિવેદી,અતિથિ વિશેષ તરીકે શ્રી સંજુ વાળા ઉપસ્થિત રહ્યા. હતા .સમગ્ર કાર્યક્રમનું સંયોજન અને સંકલન અમરેલીના શ્રી હરગોવિંદ પંડ્યા,શ્રી કાલિન્દીબેન પરીખ,શ્રી હરેશ વડાવિયા,શ્રી ગોપાલ ધકાણ તથા ભાવનગરના શ્રી હીનાબેન ભટ્ટ અને ડૉ.માનસીબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું...સર્વોદય સરસ્વતી મંદિર, બાબાપુર  ના અધ્યક્ષ શ્રી મંદાકિનીબેન પુરોહિત તેમજ,રમેશ પારેખ સાહિત્ય વર્તુળ, અમરેલી ના અધ્યક્ષ હરજીવનભાઈ દાફડા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.  આ પ્રસંગે.ભાવનગરના કવિઓ દ્વારા અમરેલીના કવિઓનું શિશુવિહારનું સાહિત્ય આપી સન્માન કરવામાં આવ્યું કવિ સંમેલન પ્રસંગે શ્રી વૈદેહી પરમાર લિખિત કાવ્યસંગ્રહ "ધબકતું હૃદય" પુસ્તકનું વિમોચન મહેમાનશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સ્નેહી પરમાર અને ડૉ. માનસી ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.