ગીર ગઢડા દ્રોણેશ્વર ગુરુકુળ માં પાંચ દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/znsarsnapmf8q3ci/" left="-10"]

ગીર ગઢડા દ્રોણેશ્વર ગુરુકુળ માં પાંચ દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


ગીરગઢડા નાં દોણેશ્રવર ગુરુકુળમાં પાંચ દિવસ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

દેશભરના વિદ્વાન પંડિતો ચાર વૈદિક ધર્મ વૈદ નું પૂજન, ગૌવંશ પૂંજન, સર્વો રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો,

ધર્મ સંમેલન, સ્પોર્ટ્સ ખેલાડી વિદ્યાર્થીઓ નાં સન્માન,નગર યાત્રા નું ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે
ઉના,::

ગીરગઢડા તાલુકાના દોણેશ્વર ગુરુકુળ ખાતે આગામી ૧૪ જાન્યુઆરી થી ૧૮ જાન્યુઆરી ચાર દિવસ સુધી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે દેશ ભરના નામાંકિત વિદ્વાન પંડિતો ચાર વૈદિક ધર્મ વૈદ નું પૂજન ગૌવંશ પૂંજન સર્વો રોઞ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્પોર્ટ્સ નાં ખેલાડીઓ અને સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અગ્રણી નાં સન્માનિત નગર યાત્રા સહિતના વિવિધ સ્પર્ધાત્મક કાર્યકમ યોજાનાર હોય તેની ભવ્યાતિભવ્ય ઉજવણી ની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે આ કાર્યક્રમમાં દેશ વિદેશ નાં મહાનુભાવો, શિક્ષણ ક્ષેત્રે સેવાઓ આપતાં વિદ્વાન શિક્ષક, દક્ષિણ રાજ્ય નાં પંડિત અને રાજ્ય નેશનલ કક્ષાએ ભાગ લેતા ખેલાડી હાજરી આપશે
સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્રવવિધા પ્રતિષ્ઠાનમ એસ જી વી પી અમદાવાદ સંચાલિત દોણેશ્રવર ગુરુકુળ નું ૧૪ જાન્યુઆરી મંકરસંકાત દિવસે સ્થાપના કરવામાં આવી હતી અને હાલમાં ધો ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્યમ નું અતિ આધુનિક અધ્યતન શૈક્ષણિક સંકુલ ચાલી રહ્યું છે જ્યાં બાળકો ને નિજી વ્યક્તિત્વ ને ખીલાવવાનુ જીવન મુલ્યો ની પ્રયોગ શાળા આનંદમય વાતાવરણ શાંતિ વિશ્વબંધુત્વ ભાવના વચ્ચે બાળક પાંગરે ઉછેર થાઈ શારીરીક, માનસીક બૌદ્ધિક અને આધ્યાત્મિક જીવન સંસ્કૃતિ રાષ્ટ્રિય સમર્પણ સાથે યુવા માણસ ને પ્રજ્વલિત કરીને સમાજ ને માર્ગદર્શન બની શકે તેવાં હેતુ સાથે પૂજય બાલકૃષ્ણ દાસજી સ્વામી પૂજય માધવ પ્રિયદાસજી સ્વામી નાં નેતૃત્વમાં ચાલતાં વિશાળ ગ્રાઉન્ડ અને દોણેશ્રવર ચેક ડેમ સામે આવેલ આજુબાજુ ૪૦ થી વધુ ગામો ને સાંકળી બનાવેલ ગુરુકુળ ખાતે આગામી ૧૪ જાન્યુઆરી મંકરસંકાત દિવસે ભવ્યાતિભવ્ય મંદિર નાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે કાર્યક્રમ નો આરંભ ગૌવંશ પૂંજન મંત્ર જાપ સંતો હરીભક્તો ને સાથે રાખી કરાશે હિન્દુ ધર્મ નાં પ્રથમ વાર ચાર વૈદિક ગ્રંથો મૂર્તિ પુજન વિદ્વાન પંડિતો પાંચ દિવસ મંત્ર નાં વૈદ નું પારચારણ થશે જ્ઞાન બે પ્રકારના થશે દક્ષિણ ભારત નાં પંડિત દ્વારા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વૈદિક વિધાન સાથે કરશે ગુરુકુળ દ્વારા પાંચ ગામોમાં ઈટવાયા,વાજડી,પડા,વાવરડા, સહિતના હરી મંદીરો નાં ઉત્સવ સાથે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરાવવામાં આવશે
૨૫કુડી જ્ઞાન વિધી વિદાન થી કરાવશે અને વૈદીક પૂજા સાથે ઉત્સવ ઉજવાશે તા૧૪ નાં રોજ સર્વો રોઞ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી નામાંકિત તબીબ દ્વારા દર્દી ને નિઃશુલ્ક સારવાર આપશે તેમજ દવા પણ સંસ્થા દ્વારા આપવામાં આવશે ૧૬/૧૭ નાં બે દિવસ રક્તદાન શિબિર કેમ્પ યોજાશે જેમાં શિરમ પ્લેટ લેટ તેમજ ગૃપ મુજબ બ્લડ ડોનેશન કરાશે અને વર્ષ દરમિયાન બંધી સંસ્થાઓ બે વખત કેમ્પ થતાં રહેશે આ ઉપરાંત અમદાવાદ હોસ્પિટલ નાં આયુર્વેદિક ડોક્ટરની ટીમ પણ પાંચ દિવસ સુધી લોકો ની માનવ સેવાના કાર્યો કરશે બાળકો નાં અભ્યાસ ને ધ્યાને રાખીને ગુરૂકુળ માં શિક્ષણ નું ધડતર કરવાં માટે નિષ્ણાત તજનો છાત્રો ની સાર સંભાળ રાખશે વિશેષ ગુરુકુળ નાં પ્રતિભાવી વિદ્યાર્થીઓ યોગ સાંસ્કૃતિક અને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિ સાથે સ્પોર્ટ્સ નાં ખેલાડીઓ રાજ્ય જીલ્લા અને નેશનલ કક્ષાએ યુનિવર્સિટીના નેશનલ પ્લેયર ની ઉજવવલ પ્રતિભા ને બિરદાવવા તેનું સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવશે
નાનાં ગ્રામિણ વિસ્તારોમાં છેવાડાના માનવીને રાષ્ટ્રીય રાજ્ય અને ઓલમ્પિક ગેમ્સ રમત ગમત ક્ષેત્રે આગળ વધે સંકુચિત વિચારધારા માંથી વાલીઓ બહાર નીકળી ગુરુકુળ માં ભારત નાં ઉજ્વળ ભાવી તરીકે ચમકે મનોબળ મજબૂત બને તે શારૂ દેશ વિદેશ નાં મહાનુભાવો ભારતભર નાં સંતો સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો રાકેશ પ્રસાદજી મહારાજ ૧૦૦૮ પણ હાજર રહીને ગુરૂકુળ નાં ગાદી પતિ ની નિમણુંક આપશે
એકાદશી એ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મ સંમેલન ગૌવંશ પૂંજન વૈદ અભિક્ષેક સાંસ્કૃતિક કાર્યક્રમ બાળા અને બાળકો નાં અલંગ અંલગ ઝાંખી ની ઝલક જોવા મળશે તેમજ રાસ ગરબાની રમઝટ નગર યાત્રા સહિતના પાંચ દિવસ સુધી ગુરુકુળ માં મહોત્સવ ઉજવાશે તેમાં ઉના ગીરગઢડા તાલુકાના આજુબાજુ ના તેમજ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશ નાં મહાનુભાવો શિક્ષણ ક્ષેત્રે નાં મહાનુભાવો તબીબ સેવાઓ સાથે સંકળાયેલ મહાનુભાવો સંતો સેવકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ બાબતે ગુરુકુળ નાં સંતો પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું
હાલમાં દોણેશ્રવર ગુરુકુળમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં રંગ બે રંગી લાઈટ તેમજ ખીલી ઊઠેલાં વિવિધ વૃક્ષો અને હરિયાળી ક્રાંતિ વચ્ચે ગુરુકુળ ઝળહળી ઊઠ્યું છે

સ્વામિનારાયણ ગુરુકુળ નાં પૂજ્ય સંત માધવ પ્રિયદાસજી મિશન શિક્ષણ સાથે સંસ્કાર

મુળ અમદાવાદ સંચાલિત એસ જી વી પી નાં પૂજ્ય સંત માધવ પ્રિયદાસજી સ્વામી સમસ્ત ભારત દેશ અને વિશ્વ પરીવાર સાથે રહેછે તમામ ધર્મના જ્ઞાતિ ના લોકો સાથે મળીને કદમ મિલાવી પ્રગતિ કરે છારોડી ઈન્ટરનેશનલ સ્કૂલ માં ૩૦દેશ નાં વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરે છે ભારત ની મુખ્ય દશ સ્કૂલ માં સ્થાન ધરાવતી ગુરુકુળ છે આ ઉપરાંત દર્શનમ્ સંસ્કૃત ભાષા ની શાળા પણ તદન ફ્રી માં અભ્યાસ કરાવે છે ચાર વૈદિક ગ્રંથો ની શાળા મેમનગર અમદાવાદ ગુરુકુળ ચાલે છે તે માત્ર દરરોજ ૧ રૂપિયા ટોકન દરે ચાલે છે તેવીજ રીતે ગીરગઢડા તાલુકાના દોણેશ્રવર ગુરુકુળમાં ગીર જંગલ બોર્ડર નાં ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તા ખેડૂતો શ્રમજીવી પરિવારની નાં બાળકો ને લાભ મળે દિકરીઓ સ્વામી નારાયણ સંપ્રદાયના ગુરુકુળ માં અભ્યાસ કરીને પૂર્ણ મયાર્દા સાથે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવી ભાવનાથી કોમન ફેસેલીટી નહિં પરંતુ અંલગ દિકરા દિકરીમાટે એકજ કેમ્પસમાં બિલ્ડીંગ બનાવી નાનાં પરીવાર સુખી પરીવાર તેનો લાભ ઉઠાવીને નેશનલ કક્ષાએ ગૌરવ બને તેવું બાળકો ને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક સંકુલ બનાવીને પ્રયાસ કર્યો છે

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]