ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી અબોલ પશુઓ ને તરબૂચ અને કેરીનું ભોજન અપાયું - At This Time

ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી અબોલ પશુઓ ને તરબૂચ અને કેરીનું ભોજન અપાયું


ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી અબોલ પશુઓ ને તરબૂચ અને કેરીનું ભોજન અપાયું

આજ રોજ પાળીયાદ મહાજન પાંજરાપોળમાં જીવદયાના અનેક કાર્ય કરતી સંસ્થા ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી અબોલ પશુઓને આ ગરમીની સિઝનમાં તરબૂચ તથા કેસર કેરીનું ભોજન કરાવવામાં આવ્યું. જેમાં હજાર કિલો તરબૂચ તથા અઢીસો કિલો કેરી તથા 75 હજાર નો ચેક જેવી માતબર રકમ ગાયોના ઘાચસારામાં દાનમાં મળેલ. ગૌ શાળા ટ્રસ્ટ તરફથી ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદનું ગાય માતાનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. દર વર્ષે ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી સહકાર મળતો રહે છે ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહે તેવી આશા સાથે આ સંસ્થાએ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.