બાલાસિનોર સાલિયાવાડી ગામના સરપંચ સહીત અનેક લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા - At This Time

બાલાસિનોર સાલિયાવાડી ગામના સરપંચ સહીત અનેક લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા


કોંગ્રેસ-ભાજપ થી નારાજ સરપંચે આમ આદમી પાર્ટી નો સાથ લીધો

બાલાસિનોર તાલુકાના સાલિયાવાડી ગામના સરપંચ સહીત અનેક લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીની પ્રાથમિક સદસ્યતા નોંધાવી. અરવિંદ કેજરીવાલની ગુજરાત માટેની પહેલી ગેરંટી દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી આપવાના વાયદાના પગલે ગુજરાતના તમામ વિસ્તારમાં આમ આદમી પાર્ટી જનસંવાદ કર્યક્રમ યોજી રહી છે અને આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર હાથ ધર્યો છે.
મહીસાગર જિલ્લા આમઆદમી પાટી પ્રમુખ પ્રશાંતભાઈ ગુર્જર, પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશભાઇ બારીયા તેમજ દાહોદ લોકસભા પ્રમુખ પર્વતભાઈ વાઘડિયાએ કર્યક્રમમાં હાજરી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.