મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્ર્મ યોજાશે - At This Time

મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્ર્મ યોજાશે


મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્ર્મ યોજાશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ડો.નલીન કાંન્ત ગાંધી ટાઉનહોલ ખાતે ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓ પર આધારીત કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્ર્મમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તથા કૃષિ વિભાગ ગુજરાત રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે તા. ૨૬ જૂલાઇ ૨૦૨૨ ના મંગળવારના સવારે ૧૦ કલાકે કાર્યક્ર્મ યોજાશે. આ કાર્યક્ર્મમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ગજેંદ્રસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્ર્મમાં હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેંદ્રસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખશ્રીમતિ યતિનાબેન મોદી, ઇડર ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડિયા અને જી.યુ.ડી.સી.ડીરેક્ટરશ્રી જે.ડી.પટેલ ઉપસ્થિત રહેશે.

સાબરકાંઠા
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.