ધંધુકા માં બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yjxwhdqs1h6ax0hd/" left="-10"]

ધંધુકા માં બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો.


ધંધુકા માં બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો.

ધંધુકાના આંગણે સૌપ્રથમવાર બ્રહ્માકુમારીજનુ ભવ્ય અને અનોખુ હંસનગર આઈ.ટી.આઈ રોડ કોમન પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ દ્રાદશ જ્યોતિર્લિંગમ ના દર્શન

‌મહાશિવરાત્રીના પાવન પર્વ નિમીત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ સ્મૃતિ ભવન સેવા કેન્દ્ર ઉપર મહેમાનોના શુભ હસ્તે શિવ ધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ ઉજવાયો ત્યારબાદ રાત્રિના સમયે પ્લોટ વિસ્તારમાં હંસનગર આઈટીઆઈ રોડ કોમન પ્લોટ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા ૧૨ જયોતિર્લિંગના દર્શન તેમજ શંકરજીના ઝાંખી દર્શન સાથે દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ શિવ કથા તેમજ શિવજીના મહા આરતીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના અંતમાં ઉપસ્થીત ભાઈઓ બહેનોને પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા ધંધુકાના બ્રહ્માકુમારી સેન્ટરના મનિષાબેન તેમજ વંદનાબેન સહિતના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિધાલયના ભાઈઓ તથા બહેનો દ્વારા ભારી જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]