41 મી રથયાત્રામાં ભક્તોને આપવા રેકોર્ડબ્રેક 30 ટન શીરાનો પ્રસાદ બનવાનો છે. - At This Time

41 મી રથયાત્રામાં ભક્તોને આપવા રેકોર્ડબ્રેક 30 ટન શીરાનો પ્રસાદ બનવાનો છે.


શહેરમાં શુક્રવારે યોજાનારી 41 મી રથયાત્રામાં ભક્તોને આપવા રેકોર્ડબ્રેક 30 ટન શીરાનો પ્રસાદ બનવાનો છે . છેલ્લે 2019 માં પ્રસાદ તરીકે 27 ટન શીરો બનાવ્યો હતો . આ વર્ષે ભગવાન જગન્નનાથજી , રથ અને મંદિરના શણગાર માટે 2. 5 લાખનાં ફૂલો મગાવાયાં છે જેમાં મહારાષ્ટ્રના જલધારા અને બંગાળના પીળા ગોટા ફૂલોથી મંદિર - રથ શણગારાશે , જ્યારે થાઇલેન્ડના ફૂલો ભગવાન જગન્નાથજીને પહેરાવાશે . મંજાલપુર ઇસ્કોનનાં સૂત્રોએ જણાવ્યું કે , ગુરુવાર બપોરથી પ્રસાદ બનાવવાની તૈયારી શરૂ થઇ જશે . આ માટેની વિશેષ ટીમ તૈયાર કરાઇ છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.