બોટાદ ખાતે "વર્ષાવાસ" નિમિત્તે પાંચમું ધમ્મ પ્રવચન સંપન્ન - At This Time

બોટાદ ખાતે “વર્ષાવાસ” નિમિત્તે પાંચમું ધમ્મ પ્રવચન સંપન્ન


તારીખ.૧૧/૦૯/૨૦૨૨ રાત્રે ૯.વાગે ભારતીય બૌદ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ દ્વારા હરેશભાઈ પરમાર GEB કર્મચારી બોટાદના નિવાસસ્થાને વાણીયાવાડી સાળંગપુર રોડ બોટાદ ખાતે વર્ષાવાસ નિમિત્તે પાંચમું ધમ્મ પ્રવચન યોજાયુ આ પ્રસંગે તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉ.બાબાસાહેબના ફોટાને પુષ્પ અર્પણ અને દિપ પ્રાગટ્ય હરેશભાઈ પરમાર અને નિરમાબેન પરમાર દ્વારા કરવામાં આવેલ ત્યાર પછી બોધાચાર્ય.પરેશભાઈ રાઠોડ ઉર્ફે બોધીરાજ બૌધ્ધ દ્વારા ત્રીશરણ,પંચશીલ,બુદ્ધ વંદના કરવામાં આવેલ કાર્યક્રમના વક્તા સુનિલભાઈ ચાવડા રિલાયન્સ ગેસ એજન્સી બોટાદ દ્વારા બૌધ્ધ ધમ્મ અને વિજ્ઞાન વિશે ધમ્મ પ્રવચન આપવામાં આવેલ કાર્યક્રમ નું સંચાલન અને આભારવિધિ બોધાચાર્ય.પરેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ વર્ષાવાસ ધમ્મ પ્રવચન માળા કાર્યક્રમમાં ઉપસ્થિત.પરેશભાઈ રાઠોડ બૌધ્ધ.સુનિલભાઈ ચાવડા.હરેશભાઈ પરમાર.દેવજીભાઈ ચાવડા જયેશભાઈ બોરીચા.રાજેન્દ્રકુમાર.રવિન્દ્રભાઈ.દિપકભાઈ.પ્રભાબેન રાઠોડ.નિરમાબેન પરમાર સહિત બૌધ્ધ ઉપાસક ઉપાસિકાઓ હાજર રહીને ધમ્મ પ્રવચનનો લાભ લીધો હતો.

રિપોર્ટર :ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.